છોટાઉદેપુર,
નસવાડી તાલુકા પંચાયતના ધારસિમેલ બેઠકના સભ્યનો પુત્ર કાલે ખેતરમાં કામ કરી નાહવા અને કપડાં ધોવા માટે બરોલી પાસેની નર્મદા મેઈન કેનાલ ગયો હતો અચાનક કેનાલની આર.સી.સી લાઈનિંગ પરથી પગ લપસી જતા ડૂબી ગયો હતો. જેની લાશ શોધખોળ કરતા ભારે જહેમત બાદ મળી આવી હતી. લાશ મળતા આદિવાસી સમાજમાં શોકની લાગણી છવાઈ ગઈ. નર્મદા કેનાલમાંથી લાશ બાહર કાઢીને નસવાડી સામૂહિક આરોગ્ય ખાતે પી.એમ.માટે મોકલવામાં આવી.
રિપોર્ટર : નઈમ હુઈ, છોટાઉદેપુર